પોરબંદરની શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌધન અને પક્ષીઓ માટે સેવાકાર્ય યોજાયું હતુ.
પોરબંદરના જાણીતા શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ-અલગ ગૌશાળામાં ગૌધનને ઘાસચારો નાખવામાં આવ્યો તથા પક્ષીઓને ચણ નાખવામાં આવ્યું હતુ.
શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ સ્માઈલ બેંક ખુશીઓની વહેંચણી અભિયાન અંતર્ગત બાળકોને નાસ્તો, જરીયાતમંદ પરિવારોને અનાજની કીટ પણ આપવામાં આવે છે.તે ઉપરાંત પક્ષીઓને ચણ, શ્ર્વાનને રોટલા અને કીડીને કીડીયા પુરવામાં આવે છે.શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી કે,કોઈપણ સારો તહેવાર હોય સારા દિવસો હોય ત્યારે આપની આજુબાજુમાં જે જરીયાતવાળા લોકો છે,તેને મદદપ થવું જોઈએ.આપની આજુબાજુ જે અન્ય જીવો છે તેને પણ રોટલો, બિસ્કીટ, ચારો નાખવો જોઈએ.
આ સેવાકાર્યમાં શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસાઈ તથા શિવ સ્માઈલ બેંક દ્વારા દાતાઓ ભરતભાઈ ઓડેદરા,મનોજભાઈ મકવાણા,ક્રીષ્નાબેન ગરચરના સહકારથી આ સેવાકાર્ય કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech