કાલાવડના ડેરી ગામનો કરુણાજનક કિસ્સો: બળદ ગાડામાં બેઠેલા બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિઓનો બચાવ: ફાયર બ્રિગેડે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડેરી ગામમાં મોડી સાંજે વરસાદના કારણે એક વોકળામાંથી છ વ્યક્તિઓ સાથે પસાર થઈ રહેલું એક બળદ ગાડું પાણીમાં તણાંયું હતું, જે બનાવમાં બે બળદ અને દોઢ વર્ષના એક બાળકના મૃત્યુ નીપજ્યા છેઝ જ્યારે બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિનો બચાવ થયો છે.
આ કરુણા જનક બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ડેરી ગામમાં રહેતા ખેડૂત ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રીતેશભાઈ ધનસિંગભાઈ ડાવર નામના પર પ્રાંતિય શ્રમિક પરિવાર ના મહિલા બાળકો સહિતના પાંચ સભ્યો અને ખેડૂત ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ ખેતી કામ પૂરું કરીને ભગત ખીજડીયા ગામેથી ગાડામાં બેસીને ડેરી ગામ તરફ આવી રહ્યા હતા.
જે દરમિયાન ડેરી ગામના જુના રસ્તે મગનભાઈ જેરામભાઈ ની વાડી નજીકના વિસ્તારમાં એક વોકળામાંથી ગાડુ પસાર થઈ રહયું હતું, જે દરમિયાન એકાએક વરસાદી પાણી આવી જતાં બળદ ગાડું પલટી મારી ને વોકળામાં તણાઈ ગયું હતું, જેના કારણે બંને બળદો પાણીમાં ડૂબી ગયા હતા.
જેની સાથે શ્રમિક પરિવાર નો દોઢ વર્ષનો બાળક રવિ રિતેશભાઈ ડાવર કે જે પણ પાણીમાં તણાયો હતો. બાકીના બે મહિલા સહિતના અન્ય પાંચ વ્યક્તિઓ કે જેઓને આસપાસના વિસ્તારના લોકોએ બહાર કાઢી લેતાં તે તમામનો બચાવ થયો હતો.
આ બનાવ અંગે વહીવટી તંત્ર ને જાણ કરાતાં કાલાવડ ના મામલતદાર ની ટીમ તથા પોલીસ ટુકડી વગેરે ઘટના સ્થળે પહોંચી હતી, અને કાલાવડ ફાયર બ્રિગેડ ની મદદ લેવામાં આવી હતી. જે ફાયર ની ટીમની શોધખોળ પછી દોઢ વર્ષના બાળક રવિ રિતેશભાઇ ડાવરનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. જેનો પોલીસે કબજો સંભાળી લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. દોઢ વર્ષના માસુમ બાળકના મૃત્યુને લઈને શ્રમિક પરિવારમાં ભારે શોક નું મોજુ ફરી વળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech