રાજ્ય સરકારના નવા ઠરાવ મુજબ પ્રમાણપત્ર મેળવતા મુકુંદ બદીયાણી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામના ખાતેદાર ખેડુત મોહનલાલ પરસોતમભાઈ બદીયાણી કે જેઓ ખેતીની જમીન ધારણ કરતા હતા. પરંતુ આ જમીનને નાયબ કલેકટર દ્વારા વર્ષ ૧૯૯૪ માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સંપાદિત કરવામાં આવેલ. ત્યારબાદ મોહનલાલ પરસોતમ બદીયાણીનું તા.૦૨/૦૧/૨૦૦૧ ના રોજ અવસાન થયેલ આથી વારસાઈ આંબા મુજબ તેમની સીધી લીટીના વારસદાર તરીકે મુકુન્દરાય મોહનલાલ બદીયાણીએ જરૂરી સોગંદનામુ રજૂ કરી ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર મેળવવાની જિલ્લા કલેક્ટર સમક્ષ માંગણી કરેલ હતી.
રાજ્ય સરકારના ઠરાવ મુજબ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટર કેતનભાઈ ઠક્કર અને લાલપુરના પ્રાંત અધિકારી એસ જે અસવાર તાકીદે કામગીરી હાથ ધરીને રાજ્ય સરકારની નવી નીતિના અમલીકરણનો જિલ્લામાં પ્રારંભ કર્યો છે.
મોહનલાલ પરસોતમન બદિયાણીના સીધી લીટીના વારસદાર તરીકે મુકુન્દરાય બદીયાણી અને તેમના ભાઈ બેનો ના પરિવાર એ તમામ ધારા ધોરણો પરીપૂર્ણ કરતા હતા. આથી તમામ જોગવાઈઓને ધ્યાને લઈ પત્રકાર મુકુન્દરાય મોહનલાલ બદીયાણીને લાલપુરના પ્રાંત અધિકારી એસ. જે. અસવાર દ્વારા ખેડુત ખાતેદારના દરજજાનું પ્રમાણપત્ર એનાયત કરાયું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech