સાંસ્કૃતિક છણાવટ ધરાવતા ભવ્ય વરઘોડા બાદ શુભ વિવાહ યોજાયો
જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજીના નિધિ તેમજ પરમ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગંુસાઈજી પરમ દયાલના અનુગ્રહથી પૂ. ૧૦૦૮ વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકિવ પૂ. ૧૦૮ હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ. ગો. વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગોની શરૂઆત પહેલા શુભ વિવાહ પ્રસ્તાવના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમ ની ભવ્યતા બાદ ગઈકાલે અખંડ ભારતના વિવિધ સ્થાનો પરથી પધારેલા આચાર્યોની હાજરીમાં વલ્લભ કુળનો ભવ્ય શુભ વિવાહ યોજાયો હતો.
હાથી ઘોડા અને પાલખીની ભવ્ય સવારીઓ સાથે અદભુત અલૌકિક વરઘોડો યોજાયો હતો, જેમાં તમામ વલ્લભકુલ જોડાયા હતાં. વરઘોડો શુભ પ્રસ્તાવના સ્થળથી શરૂ થઈ અમુઝમેન્ટ પાર્ક, રણજીતનગર, એરફોર્સ ગઈટ, થઈ પ્રસ્તાવના સ્થળ પર સંપ્પન થયો હતો. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, અને બગીમાં સવાર વલ્લભકુલ ના ગોસ્વામીના દર્શનનો પણ વૈષ્ણવો એ લાભ લીધો હતો. આ વરઘોડા અસંખ્ય વૈષ્ણવો પણ જોડાયા હતા. અને ખૂબ આનંદ માણ્યો હતો. વરઘોડા પૂર્ણ થયા પછી શુભ વિવાહ ની વિધિ શરૂ કરવામાં આવી હતી. શુભ વિવાહના પ્રસંગમાં ખાસ ઉપસ્થિત રહી વલ્લભ કુળના ગોસ્વામીશ્રીઓ દ્વારા આશીર્વાદ પાઠવાયા હતાં.
આ પ્રસંગે શ્રીનાથદ્વારાથી શ્રીનાથજી મંદિરના પરમ પૂજ્ય શ્રી તિલકાયત વિશાલબાવા, કાશીથી પૂજ્ય પા. ગો. શ્રી શ્યામ મનોહરજી, બરોડાથી દ્વારકેશબાવા, ઇન્દોરથી કલ્યાણરાયજી, અમદાવાદથી રાજુબાવા, કાશીથી શ્યામ મનોહરલાલજી, જુનાગઢથી નવનીતલાલજી, જેતપુરથી બાલકૃષ્ણલાલજી, કેશોદથી ઉત્સવરાયજી, જૂનાગઢથી શરદરાયજી સહિત વલ્લભકુલ ઉપસ્થિત રહ્યા હતા, અને આશીર્વાદ પાઠવ્યા હતાં.
આ પ્રસંગે પ્રમુખ જીતુભાઈ લાલ, ઉપપ્રમુખ કુરજીભાઈ મુંગરા, મનમોહનભાઈ સોની, સહખજનચી દિનેશભાઈ મારફતિયા, સહમંત્રી નલીનભાઇ રાજાણી, કારોબારી સભ્યો મિતેશભાઈ લાલ, વિપુલભાઈ કોટક, ચેતનભાઈ માધવાણી, દિનેશભાઈ રાબડીયા, અમુભાઈ કારિયા, મનસુખભાઈ રાબડીયા, જયેશભાઈ રૂપારેલિયા, તેમજ તેંત્રીસ કરતાં પણ વધારે સમિતિના હોદેદારો તેમજ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક આ શુભ વિવાહ પ્રસ્તાવમાં સેવા આપી હતી.
આ પ્રસંગે શહેરના તેમજ દેશ-વિદેશથી પધારેલા વૈષ્ણવો હોય, ખૂબ ઉમંગ અને ઉત્સાહથી તેઓએ વિવાહ પ્રસ્તાવમાં ભાગ લીધો હતો. પૂજ્ય ગુરુદેવના આંગણે આવેલા શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજ સેવા તથા દર્શનો પરમ આનંદ પ્રાપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech