પોરબંદરમાં કોરોના વાયરસની વાર્તાઓના પુસ્તકનું પ્રકાશન થયું છે.
પ્રતિષ્ઠિત લેખકોની કોરોના વિશેની દમદાર ટુંકી વાર્તાઓ સમાવતુંને ઝેડ કાડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત અનોખું પુસ્તક ‘કોરોના’ (વાયરસ વાર્તાઓ) તાજેતરમાં જ પ્રકાશિત થયું છે, જેનું સંપાદન જાણીતા સર્જકો હરીશ મહુવાકર અને દુર્ગેશ ઓઝા દ્વારા કરવામાં આવ્યું છે.આ પુસ્તકની વિશેષતા એ છે કે,તેમાં કોરોના વાયરસની બિમારી વખતે માણસોના રંગઢંગ, કોણ ખરેખર આપણુંને કોણ પરાયું, ત્યારનું વાતાવરણ વગેરે વિષયોનું વિવિધ વાર્તાઓ દ્વારા ખુબ સરસ નિપણ કરવામાં આવ્યું છે.આ બધી વાર્તાઓ હ્રદયસ્પર્શી છે.ઘણાને એમ થશે કે આ તો મારી જ વાત અહી રજુ થઈ છે એવી રીતે સંવેદનાને અહીં વાચા આપવાનો સરસ પ્રયત્ન થયો છે.આ પુસ્તક દમદાર સર્જકો સુમંત રાવલ, જગદીપ ઉપાધ્યાય તેમ જ નરોત્તમભાઈ પલાણને અર્પણ કરવામાં આવ્યું છે એ આનંદ અને ગૌરવની વાત છે. નરોત્તમભાઈ પલાણ પોરબંદરનું જ નહીં, પણ સમગ્ર સાહિત્યજગતનું એક અણમોલ રત્ન છે.કોરોના વાયરસ વિશેના આ વાર્તાસંગ્રહમાં પોરબંદરના લેખક દુર્ગેશ ઓઝાની વાર્તા ‘ધમકી’ને પણ એની ગુણવત્તાને પરખી હરીશભાઈ મહુવાકર અને પ્રકાશક મનીષભાઈ પટેલે સ્થાન આપ્યું છે.દુર્ગેશ ઓઝા અને હરીશ મહુવાકરનું સંપાદન અહીં ઊડીને આંખે વળગે છે. લેખકો અને સંપાદકોની મહેનત અને સુઝ પ્રશંસનીય છે.આ ‘કોરોના’ (વાયરસ વાર્તાઓ) પુસ્તકમાં રહેલી વાર્તાઓ તો સરસ છે જ, એની સાથે પુસ્તકની છપાઈ, લે-આઉટ પણ આકર્ષક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમિતાભ સાથે સમય વિતાવવા મળે તે માટે રેખાએ ફિલ્મ છોડી, સાઇનિંગ રકમ પછી દીધી
June 05, 2025 11:27 AMસ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની રિમેક માટે આમિરે ટ્રોલિંગ સહેવું પડ્યું
June 05, 2025 11:24 AMકન્નડ ભાષાના વિવાદ વચ્ચે, 'ઠગ લાઈફ'ની એડવાન્સ બુકિંગથી જબરી કમાણી
June 05, 2025 11:23 AMજેતપુર પાલિકાના એસઆઈ, એકાઉન્ટન્ટને ચીફ ઓફિસરે ડિસમિસ થતાં બચાવી લીધા
June 05, 2025 11:14 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech