શહેરના પ્રહલાદ પ્લોટ શેરી નં.૨૫ દિગ્વીજય મેઇન રોડ પર રહેતા સોની વેપારી તરૂણભાઇ કનૈયાલાલ પાટડિયા(ઉ.વ ૬૨) નામના વેપારીએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં હાથીખાના શેરી નં. ૧૭ માં રહેતા અબુઝાફર ઝામદાર બંગાળીનું નામ આપ્યું છે. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ સોની બજારમાં ગોલ્ડન માર્કેટ પાસે શ્રી હરી ઓર્નામેન્ટ નામની જવેલર્સની દુકાન ધરાવે છે. દોઠેક વર્ષથી સોની બજારમાં બોઘાણી શેરીમાં એસ.કે.ગોલ્ડ કોમ્પેકસમાં બીજા માળે આવેલી જીયાન જવેલર્સ નામની દુકાન ધરાવતા અબુઝાફર જે સોનાના ઘરેણાનું ઘાટકામ કરતા હોય તેને સોનું ઘાટકામ માટે આપતા હતાં.
ગઇ તા.૫/૯/ ૨૦૨૪ ના સાંજના સમયે અબુઝાફર બંગાળીને ફોન કરી બોલાવી સોનાના ઘરેણા બનાવવા માટે ૧૩૦૦.૨૪૦ ગ્રામ ફાઇન સોનું આપ્યું હતું.અને તેણે પાંચ દિવસમાં દાગીના બનાવી આપી દેવાની વાત કરી હતી. બાદમાં છ સાત દિવસ બાદ તેને ફોન કરી દાગીના દેવા માટે દુકાને બોલાવ્યો હતો.બાદમાં આરોપીએ દુકાને આવી વેપારીને કહ્યું હતું કે, તમારૂ સોનુ મારી પાસે બીજા લોકો માંગતા હતા તેમને આપી દીધું છે. તમારૂ સોનું હું તમને થોડા સમયમાં પરત આપી દઇશ.બાદમાં તા.૧૪/૯/૨૦૨૪ ના આ અબુઝાફરે ૪૦૦ ગ્રામ ફાઇન સોનું પરત આપ્યું હતું.બાદમાં તા.૨૧/૯ આ શખસ પાસેથી વેપારીને ૯૦૦.૪૦૦ ગ્રામ સોનું લેવાનું નિકળતું હતું.જે બાબતે આ શખસે ચાર કોરા ચેકમાં સહી કરી નોટરી કરી આપેલ અને કહેલ કે, હું તમને થોડા દિવસોમાં સોનું પરત આપી દઇશ બાદમાં મારા ચેક પરત આપી દેજો.
બાદમાં તા.૧૪/૧૦ બંગાળી શખસ દુકાને આવી ૧૦૦ ગ્રામ ફાઇન સોનું પરત આપી ગયો હતો.ત્યારબાદ વેપારીને બાકી નિકળતું ૮૦૦.૪૦૦ ગ્રામ સોનું પરત આપવા માટે કહેતા તે સોનું પરત આપતો ન હોય અને ખોટા વાયદાઓ કર્યે રાખ્યો હોય જેથી વેપારીએ અંતે ૮૦૦.૨૪૦ ગ્રામ ફાઇન સોનું કિં.રૂ. ૭૬,૮૦,૦૦૦ આ શખસ વિશ્ર્વાસઘાતથી ઓળવી ગયા અંગે એ ડિવિઝન પોલીસમ મથકમાં આ ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ અંગે વધુ તપાસ પીએસઆઇ એમ.આર.મકવાણા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech