નાની એવી માખીનું મગજ કેટલું નાનું હોય છે તેનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત પુખ્તવયની માખી (ફ્રૂટ ફ્લાય)ના એક મિલીમીટર પહોળા મગજનો વિગતવાર નકશો બનાવ્યો છે. જેમાં 1.39 લાખથી વધુ ન્યુરોન્સ (મગજના ચેતા કોષો) અને પાંચ કરોડથી વધુ સંપર્કોની વિગતો આપવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મનુષ્ય સહિત તમામ જીવોના મગજ વિશે માહિતી મેળવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે, નેચર જર્નલમાં પ્રકાશિત અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ, માખીઓ, જેનું વૈજ્ઞાનિક નામ ’ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર’ છે, ન્યુરોસાયન્સ માટે મોડેલ સિસ્ટમ્સ છે. તેમનું મગજ માનવ મગજની જેમ ઘણી સમસ્યાઓ હલ કરે છે. તેઓ ચાલવા, ઉડવા, શીખવા, યાદશક્તિ અને સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ જેવા વર્તન માટે સક્ષમ છે. સંશોધનનો ઉદ્દેશ્ય મગજ કેવી રીતે જોડાયેલું છે, મગજના સ્વસ્થ કાર્ય પાછળના સંકેતો શું છે તે સમજવાનો હતો. આ અન્ય જીવોના મગજના મેપિંગનો માર્ગ ખોલી શકે છે.
સંશોધકોમાંના એક ન્યુરોસાયન્ટિસ્ટ માલા મૂર્તિએ જણાવ્યું હતું કે, અમે જે પ્રશ્નોના જવાબો શોધી રહ્યા હતા તેમાંથી એક પ્રશ્ન એ હતો કે મગજના વાયરિંગ, તેના ન્યુરોન્સ અને જોડાણો જીવતંત્રની વર્તણૂક કેવી રીતે નક્કી કરે છે. અમે બનાવેલો નકશો વાયરિંગ ડાયાગ્રામ છે. તેને ’કનેક્ટોમ’ કહેવામાં આવે છે. સંશોધનમાં મગજના વાયરિંગ દ્વારા ફ્લાયના જટિલ વર્તનને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માખીઓના વર્તન પર ઘણા સંશોધનો થઈ ચૂક્યા છે. એક સંશોધનમાં જાણવા મળ્યું કે કેવી રીતે માખીઓ અચાનક ઝડપથી ઉડવાનું બંધ કરી દે છે અને પછી તે જ ગતિએ ઉડવા લાગે છે. અન્ય સંશોધનમાં માખીના સ્વાદ નેટવર્ક અને સ્વચ્છતા સંબંધિત સર્કિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એવું જાણવા મળ્યું કે, તેણી તેના એન્ટેનામાંથી ગંદકી દૂર કરવા માટે તેના પગનો ઉપયોગ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech