બિહારના કટિહારમાં સ્કોર્પિયો ટ્રેક્ટર સાથે અથડાતા 8 જાનૈયાના મોત, 2 ગંભીર

  • May 06, 2025 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના કટિહાર જિલ્લામાં સોમવારે રાતે એક મોટો માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. અહીં જાનૈયાઓથી ભરેલી સ્કોર્પિયો કાર ટ્રેક્ટર સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ પણ થયા હતા. અકસ્માત બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

બિહારના કટિહાર જિલ્લામાં સોમવારે રાત્રે, જિલ્લાના પોઠિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએચ 77 રોડ પર ચાંદપુર હનુમાન મંદિર પાસે જાનૈયાથી ભરેલી ટ્રેક્ટર અને સ્કોર્પિયો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. આમાં સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહેલા આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે સમેલી સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા જ્યાંથી બંનેને રિફર કરવામાં આવ્યા હતા. કટિહારના એસપી વૈભવ શર્માએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પોઠિયા પોલીસ સ્ટેશન હેઠળ આવતા સમેલીમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે.​​​​​​​


સ્કોર્પિયોમાં 10 લોકો હતા

ઘટનાના પ્રત્યક્ષદર્શી અને જિલ્લા કાઉન્સિલરના પ્રતિનિધિ મનોજ કુમાર મંડલે જણાવ્યું હતું કે પૂર્ણિયા જિલ્લાના બરહારા કોઠીના ઢીબ્રા બજારના 10 લોકો કુર્સેલા નજીક કોશકીપુરમાં માં જવા માટે સ્કોર્પિયોમાં મુસાફરી કરી રહ્યા હતા. ચાંદપુર પશ્ચિમ પંચાયતના ચાંદપુર ચોક પાસે મકાઈનો ઢગલો જોઈને સ્કોર્પિયોએ સંતુલન ગુમાવ્યું અને આગળ મકાઈ ભરેલા ટ્રેક્ટર સાથે અથડાઈ ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application