દ્વારકા, સુરત અને દમણમાં 75થી 85 ટકા ભેજ, અસહ્ય બફારાથી લોકો અકળાયા, 21મી સુધી આવું જ વાતાવરણ રહેશે

  • March 18, 2025 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના અન્ય મોટાભાગના વિસ્તારોમાં આજે સવારે વાતાવરણના ભેજનું પ્રમાણ સરેરાશ 40% આસપાસ રહ્યું છે. પરંતુ દરિયાકાંઠાના વિસ્તાર દ્વારકા વેરાવળ દમણ સુરતમાં તે વધીને ૮૫ ટકા સુધી પહોંચી ગયું છે. વેરાવળમાં આજે 50 દ્વારકામાં 85 દમણમાં 74 અને સુરતમાં 76 ટકા ભેજ નોંધાયો છે. જોકે પોરબંદરમાં ભેજનું પ્રમાણ 42% રહેવા પામ્યું છે.

ભેજવાળા વાતાવરણની સાથો સાથ ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો છે. પોરબંદરમાં 35.1 વેરાવળમાં 33.9 કંડલામાં 36.8 નલિયામાં 37.2 ઓખામાં 31 ભુજમાં 36.2 ભાવનગરમાં 34.7 અમરેલીમાં 37.9 ડિગ્રી મહત્તમ તાપમાન સોમવારે નોંધાયું હતું, ગઈકાલે રાજકોટમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં તારીખ 21 સુધી આવું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થશે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application