ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ૧૬ કલાક ૫૦ મિનિટનું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું આ કામકાજ દરમિયાન ૬૯ સભ્યોએ વિધાનસભા ગૃહની ચર્ચામાં ભાગ લીધો હતો.તા ૨૧,૨૨,અને૨૩ ઓગસ્ટ સુધીના પંદરમી ગુજરાત વિધાનસભાના પાંચમા સત્ર દરમિયાન સભાગૃહની કુલ–૩ બેઠકો મળી હતી.જેમા કુલ–૧૬ કલાક ૫૦ મિનિટ કામ કર્યુ હતું. સત્ર દરમિયાન કુલ–૬૯ સભ્યઓએ ચર્ચામાં ભાગ લીધો હતો. સત્ર દરમિયાન કુલ–૯ સ્વર્ગસ્થ મહાનુભાવોના અવસાન અંગે ગૃહમાં શોકદર્શક ઉલ્લ ેખો કરવામાં આવ્યા હતા.સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્નોની કુલ–૮૩ સૂચનાઓ મળી હતી તેમાંથી ૧૨ સૂચનાઓ દાખલ કરી હતી અને તેમાંથી ૧૧ સૂચનાઓની ગૃહમાં મૌખિક ચર્ચા થઈ હતી. આ સત્ર દરમિયાન કુલ–૮૭ અતારાંકિત પ્રશ્નોના જવાબો ગૃહના મેજ પર મુકવામાં આવ્યા હતા. સત્ર દરમિયાન કુલ ૫ સરકારી વિધેયકો અને ૧ વૈધાનિક પ્રસ્તાવ ગૃહે પસાર કર્યા હતા. નિયમ–૧૨૦ અન્વયે એક સરકારી સંકલ્પ સભાગૃહમાં પસાર કરવામાં આવ્યો હતો. જે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો દવારા સતત ત્રીજા કાર્યકાળ માટે દેશના વડાપ્રધાન પદનું સુકાન સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપવા અંગેના સરકારી સંકલ્પનો ગૃહ દ્રારા સ્વીકાર કરવામાં આવ્યો હતો. સત્રના છેલ્લ ા દિવસે સભ્ય અમીત ચાવડાના છેલ્લ ા દિવસના પ્રસ્તાવ પર સભાગૃહે ચર્ચા વિચારણા કરી હતી.
વધુમાં, અધ્યક્ષએ જાહેર હિસાબ સમિતિ ઉપર ખાલી પડેલ બે સભ્યો અને પંચાયતી રાજ સમિતિ ઉપર ખાલી પડેલ એક સભ્યની ચૂંટણી માટેના કાર્યક્રમની સભાગૃહમાં જાહેરાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોડીનાર શિંગોડા નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુથી શોકનો માહોલ
May 19, 2025 11:17 AMઆઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા
May 19, 2025 11:15 AMજામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓે છેતરપિંડીના ગુનામાં જેલહવાલે
May 19, 2025 11:14 AMજામવણથલી રેલ્વે સ્ટેશન:ત્રણ કરોડથી વધુના ખર્ચે કાયાકલપ
May 19, 2025 11:12 AMજૂનાગઢ બી–ડિવિઝન પોલીસે ઝડપેલા વાંકાનેરના શખસે એક ડઝન બાઈક ચોરી કબૂલી
May 19, 2025 11:11 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech