પોરબંદરમાં લગ્નની ૫૦ મી વર્ષગાંઠ મુંગા જીવોના સેવાકાર્યો માટે થઈ અર્પણ

  • June 06, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં સામાજિક સંસ્થાના સભ્યના લગ્નની ૫૦ મી વર્ષગાંઠ નિમિત્તે મુંગા જીવો માટે અનેકવિધ સેવાકાર્યોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરની ધાર્મિક સામાજિક શૈક્ષણિક મેડિકલ આર્થિક અને પશુ પક્ષીઓ માટે સતત સેવાકાર્યો કરતી સંસ્થા માહી ગ્રુપના સભ્યો દ્વારા રશ્મિબેન કોટેચા તેમજ વિનોદભાઈ કોટેચા હાલ રાજકોટ નિવાસીના સહયોગથી તેમની ૫૦ મી મેરેજ એનિવર્સરી નિમિત્તે વિવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા 
જેમાં  ગ્રુપના સભ્યો દ્વારા ઇન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર ગાયમાતાને ઘાસચારાનું વિતરણ, કબુતરોને ચણ ,શ્ર્વાનને બિસ્કીટ અને દુધ કીડીને કીડીયારું, માછલીઓને ભોજન સહિતના અબોલ જીવોના લાભાર્થે વિવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા. તેમજ  ગ્રુપના સભ્યો દ્વારા જ‚રીયાતમંદ લોકો, સાધુ સંતો, અને દિવ્યાંગોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ ઉનાળાની કાળજાળ ગરમીમાં રાહત મળી રહે તેવા શુભ હેતુથી સફાઈ કામદારોના નાના ભુલકાઓને તેમજ જ‚રીયાતમંદ લોકોને આઈસક્રીમનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ, જેમાં  ગ્રુપના સભ્યો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા કાર્યોનો લાભ લીધો હતો અને મેરેજ એનિવર્સરીની ઉજવણી મોંઘી પાર્ટીઓ કરીને નહીં પરંતુ સેવાના વિવિધ કાર્યો દ્વારા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application