રાજકોટમાં ગઈકાલે ઈન્દિરા સર્કલ પાસે સિટી બસ કાળ બની લોકો પર ત્રાટકી હતી. જેમાં ચાર લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે આજે રાધનપુર-સમી હાઈવે પર એસટી બસ કાળમુખી બની છે. એસટી બસે રિક્ષાને કચડી નાખતા 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. ઘટનાને પગલે લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો છે.
અકસ્માતમાં મોતને ભેટેલાં કમનસીબ
તમામનું રહેઠાણ- અમરગઢ, તાલુકો રાધનપુર.
અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા
મળતી માહિતી મુજબ, સમી-રાધનપુર હાઇવે પર એસટી બસ અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રિક્ષાને બસે ટક્કર મારતાં રિક્ષામાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યું નીપજ્યા છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઇવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો
આજે વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રિક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રિક્ષામાં સવાર તમામ 6 શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. અકસ્માતના પગલે હાઇવે મરણચીસોથી ગૂંજી ઉઠ્યો હતો.
લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા
આ અકસ્માતમાં બસ પર રોડ નીચે ઉતરી ગઈ હતી. જ્યારે રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. બીજી તરફ અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા એકત્ર થયા છે. તેમજ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech