ગઇકાલે 49 બાંધકામો ઉપર તંત્રનું બુલડોઝર ફરીવળ્યું અને વધુ 12 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ: આજે પણ ઓપરેશન ચાલું: ઓખા, પંચવટી, બાલાપુર ગામ તળ, હનુમાન દાંડી ઉપર જેસીબી ફરીવળતા લોકોમાં હાંશકારો: ચારેકોર કાટમાળ
પવિત્ર બેટ દ્વારકામાં 450થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા વહિવટી તંત્ર દ્વારા આખરી નોટીસ અપાયા બાદ છેલ્લા પાંચ-પાંચ દિવસથી ઓપરેશન ડીમોલીશન ચાલી રહ્યું છે, ગઇકાલે ા.12.55 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી અને અત્યાર સુધીમાં ા.49.15 કરોડની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો દુર કરી દેવામાં આવ્યા છે. એસડીએમ અમોલ આવટે અને એસપી નિતીશ પાંડેયની આગેવાની હેઠળ પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી અને સિગ્નેચર પુલ પણ પાંચ દિવસથી બંધ કરી દેવામાં આવ્યો છે, બેટ દ્વારકામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હજુ પણ ગેરકાયદેસર બાંધકામો તોડવાના હોય રાજય સરકારે પણ તમામ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા સુચના આપી છે.
સમગ્ર ઓપરેશનમાં એસડીએમ દ્વારા ગુપ્તતાપૂર્વક મીટીંગ યોજાયા બાદ આ ઓપરેશન છેવટ સુધી કોઇને ખબર ન પડે તે રીતે ગોઠવાયું હતું, ગઇકાલે 22638 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ હતી જેમાં 39 મકાન, 7 વાણીજય અને 3 અન્ય મકાનો દુર કરાયા હતાં. અત્યાર સુધીમાં ા.47.15 કરોડની જમીનો, 286 બાંધકામો ઉપર સરકારી બુલડોઝર ફરીવળ્યું હતું.
મકરસંક્રાંતિના દિવસે રજાનો દિવસ હોવા છતાં પણ આ ઓપરેશન ચાલું રહ્યું હતું, હજુ પેણબંદર અને દ્વારકા શહેરમાં મંદિરની આજુબાજુ ઝડપથી ઓપરેશન થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે, ઓખા, પંચવટી, બાલાપર ગામ તળ, હનુમાન દાંડી રોડ સહિતના વિસ્તારોમાં કુલ 63753 ચો.મી. જમીન ખુલ્લી કરાવવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. ડીમોલીશન કયર્િ બાદ ચારે તરફ કાટમાળ હોવાથી લોકોને થોડી મુશ્કેલી પડે છે અને તાત્કાલીક અસરથી વહિવટી તંત્ર દ્વારા આ તમામ કાટમાળ દુર થઇ જાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. ગયા વર્ષે પણ આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે કાટમાળ લાંબો સમય પડયો રહ્યો હતો, પરંતુ ફરીથી સરકારી જમીનો ઉપર ગેરકાયેસર બાંધકામો થઇ રહ્યા હતાં, ત્યારે અધિકારીઓને આ અંગે કેમ જાણ ન હતી ? અને તેઓએ શા માટે આ બાંધકામ કરવા દીધા હતાં ? તે પણ પ્રશ્ર્ન ઉપસ્થિત થાય છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી બેટદ્વારકામાં લોકો જઇ ન શકતા કૃષ્ણભકતોમાં પણ નારાજગી જોવા મળી હતી, પોલીસે વ્યવસ્થાના ભાગપે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી, ઓપરેશન દરમ્યાન કે ઓપરેશન બાદ સાંજે કોઇપણ પ્રકારના અસામાજીક તત્વો બાંધકામ ડીમોલીશન તોડયા બાદ કોઇપણ પ્રકારના તોફાન ન કરે તે માટે પણ બાજ નજર રાખવામાં આવી હતી, ઉપરાંત દરિયાઇ પેટ્રોલીંગ પણ મજબુત બનાવવામાં આવ્યું હતું. ખંભાળીયાના ડીવાયએસપી સાગર રાઠોડ, હાર્દિક પ્રજાપતિ, એલસીબી, એસઓજીનો સ્ટાફ પણ આ ઓપરેશનમાં જોડાયો હતો, ઉપરાંત ખંભાળીયા અને દ્વારકા પીજીવીસીએલનો સ્ટાફ પણ આ તોડપાડમાં સામેલ રહ્યો હતો. આમ સતત પાંચમાં દિવસે ડીમોલીશન ચાલું રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech