સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે જામનગરની બેહનો માટે કાર્યક્રમ યોજાયો
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જામનગર દ્વારા એસ.બી.આઈ.આરસેટીના ટ્રેનીંગ સેન્ટર ખાતે બ્યુટી પાર્લર મેનેજમેન્ટ અંગેની ૩૦ દિવસીય તાલીમનું આયોજન તા.૨૪-૦૬-૨૦૨૪ થી ૨૩-૦૭-૨૦૨૪ દરમ્યાન કરવામાં આવ્યું હતું. જેમનું ઇનોગ્રેશન એસ.બી.આઈ.આર. સેટીના નિયામક રાજેશ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ૩૦ દિવસીય તાલીમ દરમ્યાન બહેનોને બ્યુટી પાર્લર મેનેજમેન્ટની તાલીમ સાથે વિવિધ રમતો આત્મવિશ્વાસ વધારવો, સિદ્ધિ પ્રેરણા વગેરેની પણ સમજ આપવામાં આવી હતી. એસ.બી.આઈ.આર. સેટીના ડાયરેકટર તથા ફેકલ્ટી અમિત ગોસ્વામી દ્વારા બહેનોને અસરકારક માહિતી સંચાર, સમય સંચાલન તથા ઉદ્યોગ સાહસિક સાથેના અનુભવોની સમજુતી આપવામાં આવી હતી.
આ તાલીમ સેમિનારને સફળ બનાવવા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગર તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દેવભૂમિ દ્વારકાનો પણ સાથ સહકાર રહેલ હતો. તાલીમ પૂર્ણ થયા પછી તાલીમાર્થીઓની પરીક્ષા લઇ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવેલ હતા.
આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ લાભાર્થીઓ નિઃશુલ્ક તાલીમ મેળવી શકે તથા આર્થિક રીતે પગભર થાય તેનો છે, આ તાલીમ સેમિનારને સફળ બનાવવા ડાયરેક્ટર રાજેશ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આરસેટી સ્ટાફ તથા તાલીમના ગેસ્ટ ફેકલ્ટી માલાબેન ત્રિવેદી દ્વારા તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech