સુરેન્દ્રનગરના થાનમાં નસબંધીના ઓપરેશન દરમિયાન 25 વર્ષની મહિલાનું મોત નીપજતા ચકચાર મચી ગઈ છે. મહિલાના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ કર્યો છે. થાનની સરકારી હોસ્પિટલમાં આ ઘટના બનતા પોલીસ પણ દોડી ગઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગાયનેક વિભાગોમાં સતત બેદરકારી ચાલી રહી છે. વધુ એક બેદરકારીને કારણે મહિલાએ જીવ ખોવાનો વારો આવ્યો હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે. મહિલાના પરિવારે
ગાયનેક ડોક્ટર સામે પગલાં ભરવા માંગ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, થાનગઢનાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 25 વર્ષીય મહિલા કંચનબેન પરમારને દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, નસબંધીનાં ઓપરેશન દરમિયાન મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે, નસબંધીનાં ઓપરેશન દરમિયાન ડોક્ટરની બેદરકારીનાં કારણે કંચનબેનનું મૃત્યુ નિપજ્યું હતું. આ મામલે પરિવારજનોએ બેદરકારી દાખવનાર ડોક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાન્યા મલ્હોત્રાની ફિલ્મ 'મિસિસ' અંગે કંગનાની નામ લીધા વગર ટીકા
February 24, 2025 12:05 PMઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech