એશિયાની સૌથી ઊંચાઈ પર આવેલ ગિરનાર રોપવે નું સંચાલન ઉષા બ્રેકો કંપ્ની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ચાર વર્ષમાં ગિરનાર રોપવે ના માધ્યમથી 29 લાખથી વધુ લોકોએ મા અંબાજીના દર્શન કયર્િ છે. રોપવે કંપ્ની દ્વારા શહેર સીવાયના પ્રવાસીઓ માટે ટિકિટ દરમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
ઉષા બ્રેકો કંપ્નીના જનરલ મેનેજર કુલ્બીરસિંહના જણાવ્યા મુજબ રોપવે પ્રારંભ થયાના ચાર વર્ષ બાદ પ્રથમ વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.ભારે પવન, વરસાદ અને વીજળી જેવી આબોહવાની પરિસ્થિતિને કારણે અનેક વખત રોપવે બંધ કરવો પડ્યો હતો.જેથી મેન્ટેનન્સ ખર્ચ પણ વધી ગયો છે.ગયા વર્ષે રોપ વેમાં લોકોને અવર-જવર માટે સરળતા રહે તે માટે પ્રતિ કલાક 800 ના બદલે1000 મુસાફરોની અવર-જવરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
રોપવે નું સંચાલન નિયમિત રીતે ચાર વર્ષથી થઈ રહ્યું છે. દેશ વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં સૌથી ઊંચાઈ પર આવેલા રોપવેની સફર માણી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી રોપવે ખરાબ હવામાનના કારણે અવારનવાર બંધ રહ્યો છે. જેથી મેન્ટેનન્સ ખર્ચ વધુ છે. ઉષા બ્રેકો કંપ્ની દ્વારા જૂનાગઢ શહેરીજનો અને ડોલીવાળાઓ માટે કોઈ વધારાનો ચાર્જ આપવો પડશે નહીં. ગિરનાર રોપવેની ટિકિટ અગાઉ 630 હતી. તે વધારીને રૂ.699 કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMપાકિસ્તાનના આર્મી ચીફના નિવેદન પર ભારતનો જડબાતોડ જવાબ, જાણો વિદેશ મંત્રાલયે શું કહ્યું?
April 17, 2025 06:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech