રાજકોટમાં જાનકી પાર્ક, કોપર સ્ટોન, જલારામ પ્લોટ, ધર્મજીવન અને ગીતાનગરમાં કોરોનાના 10 કેસ મળ્યા, બે દર્દી ઓક્સિજન ઉપર

  • June 11, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં ખૂણે ખૂણે કોરોના પ્રસરવા લાગ્યો છે, દરમિયાન આજે વધુ ૧૦ કેસ સામે આવતા મહાપાલિકાની આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી હતી. તા.૧૯-૫-૨૦૨૫થી આજે તા.૧૧-૬-૨૦૨૫ સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ ૧૨૪ કેસ મળ્યા છે જેમાંથી ૬૮ દર્દીઓ સાજા થયા છે અને આજની સ્થિતિએ ૫૬ દર્દીઓ સારવાર હેઠળ છે.


ક્યાં વિસ્તારોમાંથી નવા કેસો મળ્યા

વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ (૧) વોર્ડ નં.૮માં અમિનમાર્ગ ઉપર ૬૩ વર્ષીય સ્ત્રી (૨) વોર્ડ નં.૧૧માં શિવ ટાઉનશીપમાં ૫૮ વર્ષીય પુરૂષ (૩) વોર્ડ નં.૮માં કાલાવડ રોડ ઉપરના જાનકી પાર્કમાં મલેશિયાથી પરત ફરેલ ૩૪ વર્ષીય સ્ત્રી અને ૬૮ વર્ષીય સ્ત્રી (૪) વોર્ડ નં.૧૦માં એવરેસ્ટ પાર્કમાં બાવન વર્ષીય સ્ત્રી (૫) વોર્ડ નં.૭ની ધર્મજીવન સોસાયટીમાં ૮૦ વર્ષીય પુરૂષ સંક્રમિત થયા છે જેઓ ઓક્સિજન ઉપર છે (૬) વોર્ડ નં.૧૧ના શ્યામનંદ પાર્કમાં ૪૪ વર્ષીય સ્ત્રી (૭) વોર્ડ નં.૧૦માં જલારામ પ્લોટમાં ૪૫ વર્ષીય પુરૂષ (૮) વોર્ડ નં.૯માં કોપર સ્ટોન સોસાયટીમાં ગાંધીનગરથી પરત ફરેલ ૪૩ વર્ષીય સ્ત્રી સંક્રમિત થતા હાલ ઓક્સિજન ઉપર છે. (૯) વોર્ડ નં.૮ના ગીતાનગરમાં આદિપુરના પ્રવાસેથી પરત ફરેલ પંચાવન વર્ષીય સ્ત્રી સહિત કુલ ૧૦ દર્દીઓ સંકમિત થયા છે.


કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે

ગુજરાતમાં હાલમાં જે કેસો જેવા મળે છે તે ઓમીક્રોનના પેટાં ટાઈપ વેરિયન્ટ LF.7.9 અને XFG Recombinant છે. જેમાં દર્દી માઈલ્ડ તાવ, શરદી ખાસી જેવા લક્ષણો ધરાવે છે. હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણો જણાય નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી- છીક દરમિયાન નાક-મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થુંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે કોવિડ અપ્રોપ્રિયેટ બિહેવિયરનું પાલન કરવું. ખાસ કરીને કો-મોર્બીડ કડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દર ૬ થી ૮ માસમાં રાઈઝીંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. સાવચેતી એજ સમજદારી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News