અક્ષત પ્રસાદનું વિતરણ કરાયું
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૨૨ ના રોજ યોજાનાર છે. જેને અનુલક્ષીને ખંભાળિયામાં વોર્ડ નંબર છ ખાતે આવેલા જલારામ મંદિર વિસ્તારમાં શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર - અયોધ્યાથી આવેલા આમંત્રણ રૂપી પુજીત અક્ષત અને મંદિરનો ફોટો ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત રામદૂતો દ્વારા ૩૦૦ થી વધુ ઘરનો સંપર્ક કરીને પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી. આ યાત્રાનું આ વિસ્તારમાં દરેક ચોક પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૨૨ જાન્યુઆરીના દિવસે ૫ દીવા પ્રગટાવી, રંગોળી સાથે રોશની કરીને દિવાળી ઉજવવા લોકોને અપીલ કરી હતી. રામ-સીતા બનેલા બાળ કલાકારોએ સૌને આમંત્રિત કર્યા હતા.
આ સંપર્ક અભિયાનમાં રામ ભક્ત રચનાબેન મોટાણી, કિરણબા જાડેજા, રેખાબેન ખેતીયા, મીનાબા જાડેજા, મયુરભાઈ ધોરીયા, ઇન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, મોહિતભાઈ મોટાણી, બ્રિજરાજસિંહ જાડેજા, અશોકભાઈ કાનાણી, ભવ્ય ગોકાણી, હસુભાઈ ધોળકિયા, જેમીનીબેન યોગેશભાઈ મોટાણી સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા. આ કળશનું ઠેર-ઠેર ઢોલના તાલે પુષ્પ વર્ષા કરીને આરતી-પૂજન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સાવી મોટાણીએ સીતામાતાનું પાત્ર ભજવી લોકોનું આકર્ષણ કેન્દ્ર બની હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech