પોરબંદરના માધવપુરમાં યોજાયેલા ભવ્યાતિભવ્ય લોકમેળામાં બે રાજ્યના રાજ્યપાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હોવાથી તેમના બંદોબસ્તને કારણે માધવપુર અને પાતા વચ્ચે કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો. માધવપુરના મેળામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, અણાચલ પ્રદેશના રાજ્યપાલ કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક તથા કેન્દ્રીય સંસ્કૃનિ અને પર્યટનમંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ગઇકાલે રાત્રે આ મહાનુભાવોના કોન્વે અને બંદોબસ્તના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા અને ટ્રાફિકજામને લીધે હજારો લોકો ફસાઇ ગયા હતા. માધવપુરથી પાતા વચ્ચે કલાકો સુધીનો ટ્રાફિક જામ થયો હતો અને મેળાની મજા ટ્રાફિકજામની સજામાં પરિવર્તિત થઇ હતી. તંત્રની અણઆવડત અને આડેધડ ગોઠવાયેલા બંદોબસ્તને લીધે તથા અનેક જગ્યાએ રસ્તા બંધ કરી દેવાયા હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ અને વી.વી.આઇ.પી.ઓના બંદોબસ્તનો ભોગ સામાન્ય નાગરિકો બન્યા હતા તેથી તેઓ આક્રોશ વ્યકત કરતા નજરે ચડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech