જામનગર જિલ્લાના મોટી ખાવડી ખાતે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ ની સામે સરકારી પટ્ટા પરની જમીન ઉપર ગેરકાયદેસર દુકાનો ખડકી દીધેલ છે જ્યાં નોનવેજ તેમજ ખુલ્લા માં દુકાનમાં તિંગાડેલ માસ મટન જાહેરમાં તેમજ દુકાનોની અંદર કટીંગ કરી તેમનો બગાડ પણ જાહેરમાં ત્યાં જ ફેંકી તેમનું વેચાણ કરે છે. જેને લઈ સામે આવેલ રાજલક્ષ્મી કોમ્પ્લેક્સના દુકાનદારો અને આવતા જતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ ગેરકાયદેસર ખુલ્લામાં વેચાણથી અને તેના બગાડને ખુલ્લામાં ફેકવાથી દુર્ગંધ તથા પશુઓ, ગૌવંશ પણ આરોગતા હોવાથી તેમને પણ બીમારી થતી હોય, જેને લઈ સ્થાનિક રહેવાસીઓ તેમજ આસપાસના દુકાનદારોએ લગત વિભાગોમાં ઉપરોક્ત નોનવેજની દુકાનો બંધ કરાવવા તેમજ આરોગ્ય બચાવવા રજૂઆત કરેલ હતી.
તે સંદર્ભે હિન્દુ સેનાને પણ રજૂઆત કરતા હિન્દુ સેના દ્વારા કલેક્ટર, ડી.એસ.પી. તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં આ પ્રશ્નનો તાત્કાલિક ધોરણે નિકાલ લાવવા અરજ કરેલ હતી. તેમ છતાં કોઈ રાજકીય દબાણ કે માથાભારે વગ ધરાવતા આવા લોકો સામે સરકારી ખાતું એક્શન લેવામાં પાંગળું સાબિત થયું હોય ત્યારે ટુકાગાળામાં પ્રશ્નનો નિકાલ નહીં આવે તો હિન્દુ સેના જાતે ત્યાં પહોંચી ગંભીર પ્રશ્નોની ચકાસણી કરી યોગ્ય નિકાલ લાવવા પ્રયત્ન કરશે. જેમાં કાયદો અને પરિસ્થિતિ ન કથડે તેની જવાબદારી સરકારની રહેશે. જેની ગંભીરતા લઈ જામનગર જિલ્લાના ખાવડી ગામ ખાતેના રાજલક્ષ્મી કોમ્પ્લેક્સ સામેના ભાગે આવેલ ગેરકાયદેસર દુકાનોમાં ચાલતા આવા નોનવેજના વેચાણ તેમજ ખુલ્લામાં ફેકાતા માસ મટનના કચરાને બંધ કરાવવા હિન્દુ સેના યુવા પાંખ દ્વારા માંગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતે મુરીદકે પર 4, શકરગઢ પર 2 અને સિયાલકોટ પર 2 મિસાઇલ છોડી
May 07, 2025 12:44 PM‘ચીની માલ’ એચક્યુ-9ની નબળી ગુણવત્તાને કારણે પાકિસ્તાનનું હવાઈ સંરક્ષણ નિષ્ફળ
May 07, 2025 12:40 PMરોએ લક્ષ્યો પસંદ કર્યા: આર્મી-નેવી-એરફોર્સે પાર પાડ્યું ઓપરેશન
May 07, 2025 12:37 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech