ગુજરાત સહિત દેશના અડધો ડઝન જેટલા ભાગમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને તેવી જુદી જુદી સિસ્ટમના કારણે વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 11 તાલુકામાં સામાન્ય ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ થયો છે.
ઉમરગામમાં એક ઇંચ વરસાદ
ગાંધીનગરમાં આવેલા કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાના પોશીના અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ઇંચ વરસાદ થયો છે. આ ઉપરાંત સાબરકાંઠાના વિજયનગર દાહોદ અને ઝાલોદમાં પોણો ઈચ, ડાંગ જિલ્લાના સુબીર વધઈ બોટાદ જિલ્લાના ગઢડા રાણપુર અને બોટાદમાં સામાન્ય ઝાપટાં પડ્યા છે.
રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી હતું
ગુજરાતમાં આજથી મહત્તમ તાપમાનમાં ચાર દિવસ દરમિયાન ત્રણ ડિગ્રી જેટલો વધારો થવાની ચેતવણી હવામાન ખાતાની આપી છે, રાજકોટમાં બુધવારે મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી હતું. રાજ્યના અન્ય તમામ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે હતું.
આજથી તારીખ 20 સુધી વરસાદ માટે ચેતવણી આપવામાં આવી
ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગુજરાત આસામ કોંકણ આંદામાન બંગાળ ઉત્તરાખંડ બિહાર અને સબ હિમાલય એરિયામાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન છવાયું છે અને તેના કારણે નોર્થ ઈસ્ટના રાજ્યો અરુણાચલ આસામ નાગાલેન્ડ મણીપુર ત્રિપુરામા વરસાદ પડી રહ્યો છે. કોકણ ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ વરસાદ માટેની આગાહી છે. તામિલનાડુ કેરલા, કર્ણાટક આંધ્ર પ્રદેશમાં આજથી તારીખ 20 સુધી વરસાદ માટે ચેતવણી આપવામાં આવી છે. મધ્યપ્રદેશ વિદર્ભ છત્તીસગઢ ઓડીસા બિહાર બંગાળ સિક્કિમ અંદામાન નિકોબાર ટાપુમાં પણ વરસાદ માટેનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.
તારીખ 17 સુધી હિટ વેવ માટે ચેતવણી આપવામાં આવી
બીજી બાજુ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આજથી તારીખ 17 સુધી હિટ વેવ માટે ચેતવણી આપવામાં આવી છે, નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં આગામી ચાર દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી અને ગુજરાતમાં ત્રણ ડિગ્રી જેટલો તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech