ખંભાળિયા તાલુકાની સિધ્ધપુર પ્રાથમિક શાળામાં તાજેતરમાં ધોરણ 8 ના બાળકોનો સમાવર્તન સંસ્કાર (વિદાય સમારંભ) યોજવામાં આવ્યો હતો. શિક્ષકો દ્વારા બાળકો જીવનમાં પ્રગતિ કરે અને માતા-પિતાનું, શાળા અને ગામનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાથે દીકરીઓને આગળ ભણાવવા વાલીઓને અપિલ કરવામાં આવી હતી. બાળકો દ્વારા કરેલા કાર્યને બિરદાવવામાં આવ્યા હતા. શાળા પરિવાર દ્વારા દરેક બાળકને સ્મૃતિ ભેટ તરીકે ફોલ્ડર ફાઈલ આપવામાં આવી હતી.
બાળકો અને શાળા માટે હંમેશા તત્પર એવા સિધ્ધપુર ગામના માજી સરપંચ પરિવારના જયંતિભાઈ લખમણભાઈ પરમાર દ્વારા ધોરણ 8 ના બાળકોના સમાવર્તન સંસ્કાર (વિદાય કાર્યક્રમ) અંતર્ગત દરેક બાળકને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ તેમજ ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો. શાળા પરિવાર વતી તેમને દ્વારકાધીશની છબી આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોધડા ગામે હીટાચી મશીનના ડ્રાયવર ઉપર થયો હુમલો
May 07, 2025 01:20 PMપોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટ આગામી ત્રણ દિવસ માટે રહેશે બંધ
May 07, 2025 01:19 PMગરીબોના ડોકયુમેન્ટ મેળવીને ખુલ્યા અનેક બેન્ક એકાઉન્ટ
May 07, 2025 01:17 PMપોરબંદરમાં છ દિવસ પહેલા થયેલ મારામારીમાં ક્રોસ ફરિયાદ નોંધાઇ
May 07, 2025 01:16 PMરાણાવાવમાં વિદેશી દાના ૩૩૬ પાઉચ ભરેલો ટ્રક ઝડપાયો
May 07, 2025 01:14 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech