રાજકોટ રેન્જના આઈ.જી. જામનગરના એસ.પી. સહિતના અધિકારીઓને સાથે રાખીને સમગ્ર સર્કિટ હાઉસ પરિસરની ચકાસણી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૪ ફેબ્રુઆરીએ જામનગરના મહેમાન બનશે, અને સર્કિટ હાઉસમાં તેઓના રાત્રે રોકાણનો કાર્યક્રમ યોજાયો છે, ત્યારે સમગ્ર સર્કિટ હાઉસ પરિસર, અને તેના આસપાસના વિસ્તારમાં સજ્જડ સુરક્ષા પહેરો ગોઠવી દઇ સમગ્ર વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
પી.એમ.ઓ. ઓફિસના એસ.પી.જી.ના આઈ. જી. આર. આર. ભગતનું આજે જામનગરમાં આગમન થયું હતું, અને તેઓએ સર્કિટ હાઉસ પરિસરમાં સમગ્ર વ્યવસ્થા નું નિરીક્ષણ કર્યું હતું. આવેળા એ તેઓની સાથે રાજકોટ રેંજના આઈજીપી અશોકકુમાર યાદવ, જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી તથા મહાનગરપાલિકાના અન્ય અધિકારીઓ ફાયર શાખાની ટીમ વગેરે દ્વારા પણ સ્થળ પર નિરીક્ષણ કરીને જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMશાહરૂખ સાથે સ્ટેજ પર ડાન્સ કરતી વખતે રેખાની સ્ફૂર્તિ જોઈ ફેન્સ ઉત્સાહિત
April 22, 2025 11:56 AM'નાટુ નાટુ ફેમ ઓસ્કાર વિજેતા કીરાવાની પર શોષણનો આરોપ
April 22, 2025 11:54 AMઐશ્વર્યા અને અભિષેકે દીકરી માટે દુબઈમાં 16 કરોડ રૂપિયાનો વિલા ખરીદ્યો
April 22, 2025 11:53 AM૧૦ વર્ષના બાળકો પોતાનું બેંક ખાતું જાતે ઓપરેટ કરી શકશે, RBIએ નિયમોમાં કર્યો મહત્વપૂર્ણ ફેરફાર
April 22, 2025 11:52 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech