રાજકોટના ઉદ્યોગપતિ ગુણવંતભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક, અમદાવાદમાં ડૉ.અનીલ જૈન પાસે થશે બાયપાસ સર્જરી

  • April 15, 2025 12:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સરગમ ક્લબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.



આજકાલ સાથેની વાતચીતમાં ડૉ.જયેશ ડોબરીયાએ જણાવ્યું હતુ કે, તેઓ એન્જીયોગ્રાફી નહીં પરંતુ બાયપાસની જરૂર છે. 

ડૉ.જયેશ ડોબરીયાએ તેમનું મેડિકલ અપડેટ આપતા જણાવ્યું હતું કે ગુણવંતભાઈની ત્રણ ધમનીઓમાં બ્લોકેજ છે, અને હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત હાલ સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.


ગુણવંતભાઈના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના પરિવારજનો, મિત્રો અને શુભચિંતકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મહત્વનું છે કે, ગુણવંતભાઈ ડેલાવાળા રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સરગમ ક્લબના પ્રમુખ હોવાથી શહેરના અનેક લોકો તેમના સ્વાસ્થ્ય માટે ચિંતાતુર છે.


હાલ તો ગુણવંતભાઈના પરીવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, તેમને અમદાવાદના ડૉ.અનીલ જૈન પાસે બાયપાસ સર્જરી કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application