રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સરગમ ક્લબના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળાને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.
આજકાલ સાથેની વાતચીતમાં ડૉ.જયેશ ડોબરીયાએ જણાવ્યું હતુ કે, તેઓ એન્જીયોગ્રાફી નહીં પરંતુ બાયપાસની જરૂર છે.
ડૉ.જયેશ ડોબરીયાએ તેમનું મેડિકલ અપડેટ આપતા જણાવ્યું હતું કે ગુણવંતભાઈની ત્રણ ધમનીઓમાં બ્લોકેજ છે, અને હાલ તેઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. તેમની તબિયત હાલ સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું છે.
ગુણવંતભાઈના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેમના પરિવારજનો, મિત્રો અને શુભચિંતકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. મહત્વનું છે કે, ગુણવંતભાઈ ડેલાવાળા રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સરગમ ક્લબના પ્રમુખ હોવાથી શહેરના અનેક લોકો તેમના સ્વાસ્થ્ય માટે ચિંતાતુર છે.
હાલ તો ગુણવંતભાઈના પરીવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, તેમને અમદાવાદના ડૉ.અનીલ જૈન પાસે બાયપાસ સર્જરી કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech