વડાપ્રધાને બેટ દ્વારકાના નાગરિકોનું અભિવાદન ઝીલ્યું
બેટ મંદિર ખાતે દર્શનાર્થે પધારેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, અગ્રણીઓએ આવકાર આપ્યો હતો. મંદિરના પ્રાંગણમાં અહીંના મંદિરની વ્યવસ્થાપક સમિતિના આગેવાનોએ વડાપ્રધાનને આવકારીને સ્વાગત કર્યું હતું. આ વેળાએ સંસ્થાના આગેવાનોએ વડાપ્રધાન પ્રત્યે આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી.
જ્યારે સુદર્શન બ્રીજના લોકાર્પણ પ્રસંગે પધારેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું બેટ દ્વારકાના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરીને ભારત માતા કી જયના નાદથી વધાવી લીધા હતા. બેટ દ્વારકા હેલીપેડ થી મુખ્ય મંદિરના રસ્તા સુધી નાગરિકોએ માર્ગમાં વડાપ્રધાનને આવકાર્યા હતા. વિવિધ કલાકારો દ્વારા કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી હતી. અહીંના વિવિધ સમાજના અગ્રણીઓ, આગેવાનો, તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક વડાપ્રધાનને વધાવી લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ બેટ દ્વારકાના નાગરિકોના અભિવાદનને ઝીલીને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: દરેડ PGVCL સ્ટોરમાં ભંગારના વજનમાં કૌભાંડ મામલે અધિકારીએ વિગતો આપી
April 22, 2025 02:15 PMજામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, ૫૮.૧૧ કરોડના વિકાસ કામો મંજૂર
April 22, 2025 02:09 PMભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ
April 22, 2025 01:14 PMજામનગર શહેર-જિલ્લા કોંગીને ખરેખર મજબૂત સુકાની મળી શકશે...?
April 22, 2025 01:11 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech