બહાર સુવા બાબતે પોતાના મંગેતર સાથે મોબાઈલ ફોનમાં ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ઝેર પી લીધું
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન માં રહેતી ૨૪ વર્ષ ની દેવીપુજક યુવતીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. પોતાના મંગેતર સાથે બહાર સુવાના મામલે મોબાઈલ ફોનમાં ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ઝેર પી લઇ મોતની સોડ તાણી લીધી છે. જે મામલે કાલાવડ ટાઉન પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ કોટડા સાંગાણી ની વતની અને હાલ કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતી હેતલબેન ધનાભાઈ વાઘેલા નામની ૨૪ વર્ષીય દેવીપુજક યુવતીએ ગત ૧૦મી તારીખે ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર હેતલબેન કે જેની સગાઈ થઈ ગઈ છે, અને તેણીના મંગેતર સાથે બનાવના બે દિવસ પહેલાં રાત્રિના બહાર સુવા બાબતે મોબાઈલ ફોનમાં બોલાચાલી થઈ હતી, તેથી તેણીને મનમાં લાગી આવતાં ઝેર પી લઇ આપઘાત નો પ્રયાસ કર્યો હતો, અને સારવારમાં તેણીએ દમ તોડી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાસૂદના ફૂલ સાથે આ વસ્તુઓને મિક્સ કરીને લગાવો, વાળ ઝડપથી થશે જાડા અને લાંબા
April 23, 2025 04:57 PMકાળા કે લાલ, ક્યા રંગનું માટલું પાણીને ઠંડુ રાખે છે?
April 23, 2025 04:47 PM6-6-6 વોકિંગ ફોર્મ્યુલા શું છે? વજન ઘટાડવામાં કેવી રીતે કરે છે મદદ
April 23, 2025 04:18 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech