દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આ દરોડા અંગે આમ આદમી પક્ષએ આરોપ લગાવ્યો છે કે, દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે.
ગુરૂવારે દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યના આવાસ પર સીબીઆઈ દરોડાનો દાવો કરતા આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, જેસ્મિન શાહ સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી.
મનીષ સિસોદિયાએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 2027માં ગુજરાતમાં યોજવનારી વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા. આ કોઈ સંયોગ નથી પરંતુ, ભાજપનું કાવતરૂ છે. ભાજપ જાણે છે કે, ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેને ચેલેન્જ કરી શકે છે. આ હકીકતે ભાજપને હચમચાવી દીધી છે.
દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈ દરોડાનો દાવો કરતા રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપની ગંદી રમત શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પ્રભારીના ઘરે સીબીઆઈ પહોંચી છે. મોદી સરકારે આમ આદમી પાર્ટીને ખતમ કરવાની તમામ યુક્તિ અજમાવી છે તેમ છતાં તેમને શાંતિ નથી મળી. ગુજરાતમાં ભાજપની સ્થિતિ કથળી રહી છે. આમ આદમી પાર્ટીએ જેવું દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીના પ્રભારી બનાવ્યા તેમને ધમકાવવા માટે સીબીઆઈ મોકલી દેવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત વિદેશી રોકાણને આકર્ષવા પરમાણુ કાયદાઓને હળવા કરશે
April 19, 2025 10:22 AMહવે ઇસરો વોટર બેરને મોકલશે અંતરીક્ષમાં
April 19, 2025 10:18 AMગ્લેશિયર પીગળતાં 200 કરોડ લોકો પર જોખમ
April 19, 2025 10:14 AMદિલ્હીના મુસ્તફાબાદમાં મકાન ધરાશાયી થતા છના મોત
April 19, 2025 10:00 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech