જુની પેન્શન યોજના નાબુદ કરીને નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે
નવી પેન્શન યોજનાના સ્થાને જુની પેન્શન યોજના પુન: બહાલ કરવાની માંગ સાથે જામનગરના જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.
નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કિમ નાં જામનગર નાં ક્ધવીનર યુવરાજસિંહ રાણા વગેરે એ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં રજુઆત કરી છે કે, તા. ૧-૧-ર૦૦૪ થી જુની પેન્શન યોજના નાબુદ કરીને નવી પેન્શન યોજના અમલમાં મુકવામાં આવી છે. આથી આ પછી નિમણૂક પામેલ કર્મચારીને નિવૃત્તિ પછી પેન્શન મળતું નથી. નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગાર ની ૧૦ ટકા રકમ માં સરકાર દ્વારા ૧૦ ટકા રકમ જમાં થાય છે. જે રકમ મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર માં રોકવામાં આવે છે. જેથી નિવૃત્તિ સમયે મળનારી રકમ ચોક્કસ હોતી નથી.
અન્ય રાજ્યો જેમ કે રાજસ્થાન, છતીસગઢ, કર્ણાટક, ઝારખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, સિક્કીમમાં જુની પેન્શન યોજના ચાલુ છે. આથી જુની પેન્શન યોજનાનો અમલ જરૃરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech