શ્રી બૃહદ્દ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના તત્વાવધાનમાં આર્યસમાજ જામનગર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રભરના ૭૦ વર્ષ પૂર્ણ કરી ચૂકેલ આર્ય સભાસદોનું અને તેમના દાંપત્યજીવનના ૨૫ વર્ષ પૂર્ણ કરી ચૂકેલ હોય તેવા આર્ય સભાસદ યુગલોનું પણ સન્માન કરવામાં આવેલ હતું.
આ વિશેષ સન્માન સમારોહમાં અતિથિવિશેષ તરીકે શિક્ષણાધિકારી મધુબેન કે. ભટ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર બળદેવભાઈ પટેલ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના પ્રતિનિધિ એસ. કે. રાચ્છ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં કુલ ૧૦૫ (એકસો પાંચ) વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે આર્યવન આર્ષ ક્ધયા ગુરુકુળના આચાર્યા શીતલજી, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ-જામનગરના માનદ્દમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, શ્રીમદ્દ દયાનંદ ક્ધયા વિદ્યાલયના માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન પડીયા, આર્યસમાજ-જામનગરના કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, આર્યસમાજ રાજકોટના પ્રમુખ રણજીતસિંહજી પરમાર, આર્યસમાજ-રાજકોટના માનદ્દમંત્રી વિજયભાઈ બોરીચા, આર્યસમાજ-પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, આર્યસમાજ-જૂનાગઢના પ્રમુખ શાંતિભાઈ વાઘેલા, આર્યસમાજ -નડિયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશચંદ્ર આર્ય અને પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, વઢવાણ, મોરબી, ધ્રાંગધ્રા, વિસાવદર આર્યસમાજોના પ્રમુખ, મંત્રી અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech